એકલપણું ?
ભરી ભીડ મહી લાગે એકલવાયું
પ્રભુજી મને લાગે એકલવાયું
સૌ પોતાના પરાયા થઇ ભાસે
તો કોઈ મનમાં ભરાએ ખીજે
તો પ્રભુ હું જાઉં ક્યાં બીજે ?
તારો આશરો શોધવા જાઉં ક્યાં બીજે ?
ભરી ભીડ મહીં લાગે એકલવાયું
રસ્તે જતાં માણસો અનેક
પણ એમાંથી બનતા કેટલા નેક?
દોસ્તીનો નાતો નિભાવે કોક
એવે વિરલા લાખોમાં એક
ભરી ભીડ મહીં લાગે એકલવાયું
તરછોડ્યો મને આપીને આશરો
આશરો આપ્યો,, હવે ખાઉં હું વાસરો !!
પ્રભુજી હવે તારો એક આશરો
શોધું ક્યાં બીજે હવે તારો જ આશરો
ભરી ભીડ મહીં લાગે એકલવાયું
પ્રભુજી મને લાગે એકલવાયું
રચના : તારીખ : ૦૬/૦૭/૧૯૭૯
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment